પરમ પૂજ્ય જેસીંગબાપાના “અમૃત સાગર” માંના અમૃતબિંદુઓ
- પોતાને માટે સુખ ઈચ્છવાથી નાશવંત સુખ મળે છે અને બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે.
- જ્ઞાન મુક્ત કરે છે પણ જ્ઞાનનું અભિમાન નર્કમાં લઈ જાય છે.
- જ્ઞાની તો બધુ જાણે છે,પણ જીવ જ્ઞાની આગળ ગુણ બતાવે છે ને દુર્ગુણો છુપાવે છે.
- મહાપુરૂષનાં વચન આત્માના ઉઘાડ તરફ લઈ જાય છે.
- હાલના સમયમાં ઘરોમાં, સમાજમાં જે અશાંતિ, કલહ,સંઘર્ષ જોવા મળે છે તેનું મૂળ કારણ લોકો પોતાના અધિકારની માગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતા નથી.
- કોઇ પણ કર્તવ્ય-કર્મ નાનું કે મોટું હોતુ નથી.જેનાથી બીજાઓનું હિત થાય છે તે કર્તવ્ય છે અને જેનાથી કોઇનું પણ અહિત થાય તે અકર્તવ્ય છે.
- કલ્યાણ ક્રિયાથી થતું નથી બલકે ભાવ અને વિવેકથી થાય છે.
- ભોગોની પ્રિયતા જન્મ-મરણ દેવાવાળી અને ભગવાનની પ્રિયતા કલ્યાણ કરવાવાળી છે.
- મનુષ્યને વસ્તુ ગુલામ બનાવતી નથી પણ તેની ઈચ્છા ગુલામ બનાવે છે.
- જેવું હું ઈચ્છું તેવું થાય. આ ઈચ્છા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શાન્તિ નહિ મળી શકે.
- બને ત્યાં સુધી બીજાની આશા પૂરી કરવાનો પ્રયાસ કરો પણ બીજાની આશા ન રાખો.
- કામના છૂટવાથી જે સુખ થાય છે તે સુખ કામનાપૂર્તિથી કદી થતું નથી.
- દરિદ્રતા મટાડવી છે તો પોતાની ઈચ્છાઓને સમાપ્ત કરી દો.
- જો શાંતિ ચાહો છો તો આમ થવું જોઇએ,આમ નહીં થવું જોઇએ, એ છોડી દો અને જે ભગવાન ચાહે તે જ થવું જોઇએ એ સ્વીકારી લો.
- જે દુનિયાના ગુરુ બને છે તે દુનિયાના ગુલામ થઇ જાય છે.
- ભગવાન જગતગુરુ હોવા છતાં પણ મનુષ્યને કદી શિષ્ય નથી બનાવતા ,પણ મિત્ર જ બનાવે છે.
- જે આપણી પાસેથી ધન-સપંતિ, સુખ-સુવિધા, માન-આદર,પૂ જા-સત્કાર વગેરે પણ ચાહે છે તે આપણું કલ્યાણ નહીં કરી શકે.
- પ્રારબ્ધ ચિંતા મટાડવા માટે છે,નકામા બનાવવાને માટે નથી.
- જે બનવાકાળ છે તે બનીને જ રહેશે અને જે બનવાકાળ નથી તે કદી બનશે નહીં, તો પછી ચિંતા કઈ વાતની ?
- મનુષ્ય જેમ જેમ પોતાના શરીરની ચિંતા છોડી દે છે, તેમ તેમ તેના શરીરની ચિંતા સંસાર કરવા લાગે છે.
- ચેતો ! આ સંસાર સદા રહેવાને માટે નથી.અહીયાં માત્ર મરવા માટે મરનારાઓ જ રહે છે, તો પછી પગ પસારીને કેમ બેઠાછો ?
- મકાન અહીં બનાવી રહ્યા છો,સજાવટ અહિયાં કરી રહ્યા છો.પણ ખુદ મોત તરફ જઈ રહ્યા છો.જ્યાં જવાનું છે પહેલાં તેને તો ઠીક કરો.
- કરીશું એ નક્કી નથી પણ મરીશું એ નક્કી છે.
- મુક્તિ ઈચ્છાનો ત્યાગ કરવાથી થાય છે,વસ્તુના ત્યાગથી નહિ.
- બીજાના દોષ જોવાથી નથી આપનું ભલુ થતુ, નથી બીજાનું.
- ધર્મ પ્રાપ્તિ માટે ધન નહિ પણ મન જોઇએ.
- દરિદ્રતા ધન મળવાથી જતી નથી પણ ધનની ઈચ્છા છોડવાથી જાય છે.
- સાધકે સંસારની સેવા માટે સંસારમાં રહેવાનું છે પોતાને સુખને માટે નહિ.
- કોઇને જરા પણ દુ:ખ ના થાય એ ભાવ મહાન ભજન છે.
- આપણને જે સુખ-સુવિધા મળી છે તે સંસારની સેવા કરવા માટે મળી છે.
- આ અમૃતબિંદુઓમાં વધારો થતો રહેશે. જોતા રહેશો અને પ્રતિભાવો આપતા રહેશો.
No comments:
Post a Comment