RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

24 December 2020

જનરલ નોલેજ ગુજરાતી । જનરલ નોલેજ ક્વિઝ । General Knowledge Gujarati | Gk in Gujarati |

 જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz | 

 351 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ

352 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજઅને અકબર જેવોગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

353 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ

354 ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ

355 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના

356 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર

357 ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? Ans: અંબિકા

358 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ

359 ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ

360 ર. વ. દેસાઇની ભારેલો અગ્નિનવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

361 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

362 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

363 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

364 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન અરૂન

365 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

366 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી

367 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર

368 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા

369 મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી

370 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧

371 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ

372 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ

373 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

374 પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. Ans: માનવીની ભવાઇ

375 ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

376 ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય ક. ઠાકોર

377 ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર

378 ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો

379 સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ

380 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

381 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

382 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ

383 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ

384 ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ઠંડી-નલિયા અને ગરમી-ડીસા

385 અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? Ans: અર્બુદક પર્વત

386 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

387 કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

388 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

389 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

390 સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્રરાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર

391 કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

392 સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિ કાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય

393 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

394 ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

395 ગુજરાતનું નેશનલ મરીન પાર્કકયાં આવેલું છે ? Ans: જામનગર

396 ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

397 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી

398 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

399 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

400 ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘરઘરની જયોતકૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠ

401 ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ

402 વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર

403 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

404 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

405 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક

406 ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ

407 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

408 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

409 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

410 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર

411 શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર

412 ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી

413 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

414 પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

415 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ

416 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા

417 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા

418 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

419 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે? Ans: કુંભારિયાનાં દેરા

420 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ

421 ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક

422 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ

423 ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

424 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર

425 ‘ફિશર ચેસ કલબની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬

426 ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ

427 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ

428 ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ તાનારીરીગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર

429 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

430 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

431 મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત

432 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦

433 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

434 ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી

435 સૌ પ્રથમ ગુજરાતી ભાષાએવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ

436 જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? Ans: પનાલા ડિપોઝિટ

437 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮

438 શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધકયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ

439 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

440 ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

441 વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ

442 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

443 ‘સીતાહરણકૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી

444 સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ

445 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી નગેન્દ્ર વિજય

446 જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. Ans: લાખોટા મહેલ

447 રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? Ans: અકીક

448 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર

449 ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ

450 ગુજરાતનો કયો પર્વત ઊજજર્યન્ત પર્વતતરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

451 ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

452 બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭

453 ‘સંભવામિ યુગે યુગેના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે

454 તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા

455 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ

456 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

457 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

458 પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ? Ans: મહાકાળી

459 ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા

460 ‘ગુજરાતનો તપસ્વીકાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

461 ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ

462 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર

463 પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં

464 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ

465 વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ

466 જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ

467 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત

468 સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર

469 પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ

470 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

471 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા

472 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી

473 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન

474 ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

475 લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

476 દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર

477 કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ

478 વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: જામનગર

479 ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત

480 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

481 કવિ કાન્તનું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

482 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭

483 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું

484 ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? Ans: ગ્રંથાલય ખાતું

485 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

486 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

487 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત

488 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ

489 વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં

490 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ

491 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

492 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ

493 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ

494 સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ

495 છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. Ans: મેદાની રમતો

496 પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર

497 સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ

498 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા

499 કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા

500 બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ

આ ક્વિઝના મુખ્ય પેજ પર જવા અહીં ક્લિક કરો>>> 

No comments: