2. નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
લાભ કોને મળી શકે ?
- નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
- ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
- ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
- અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
લાભ શુ મળે ?
- અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૭૫૦/-
- લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્ટમાં ડી.બી.ટી. ધ્વારા જમા કરાવવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
- અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્ર.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય
- ૨૧ વર્ષનો પુત્ર થતાં.
- વાર્ષિક આવક વધુ થતાં.
- લાભાર્થી નું આવસાન થતાં
અપીલની જોગવાઈ
અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.
No comments:
Post a Comment