૩. સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના
લાભ કોને મળી શકે ?
- ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
- મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
- અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.
લાભ શુ મળે ?
મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.અરજી ફોર્મ ક્યાથી મેળવું?
કલેક્ટર કચેરી, મામલદાર કચેરી, જનસેવા કેન્દ્ર.
અરજી ક્યાં કરવી ?
આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્ય તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે.
નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.
No comments:
Post a Comment